Thursday, December 29, 2011


મા, તમારા ચરણો માં હું જીવન અર્પું મારું
એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું

દોષ કોઈના જોઉં નહિ, હું મારી જ ભૂલો સુધારું
વાતો કરું ના હું ખાલી, જીવન માં ધર્મ ઊતારું
                              ૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું

કષ્ટો સહું બોલ્યા વિના, ના આંખોય મારી ભીંજાવું
સ્મરણ રાખું તમારું, દુઃખ ને ય પ્રભુનો પ્રેમ જાણું
                             ૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું

સુખ માં કદી હું બહેકું નહિ, અહંકાર ના ફૂલાવું
અનુભવ કરી આતમ નો, સુખદુઃખ થી પર જાઉં
                              ૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું

શ્વાસે શ્વાસે થાય નામ રટણ, એક પળ પણ ના હું ગુમાવું
શુદ્ધ કરી અંતર મારું, શરણાગત હું થાઉં
                              ૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું

No comments:

Post a Comment